દશ્ય પ્રકાશ શું છે ? તેના અંગેના જુદા-જુદા મતો લખો.
વિદ્યુતચુંબકીય વર્ણપટમાંનો $4000 \AA$ થી $8000 \AA$ તરંગલંબાઈવાળો વિસ્તાર દ્રશ્ય પ્રકાશનો છે. પ્રકાશ પોતે અદ્રશ્ય છે અને તેની મદદથી વસ્તુઓને જોઈ શકાય છે.
પ્રકાશ અંગેના મતો નીચે મુજબ છે :
$(1)$ ન્યૂટનનો કણવાદ $:$ પર ઈ.સ.$1637$ માં ડેકાર્ટિસે પ્રકાશ માટેનો કણવાદ $(Corpuscular)$ આપ્યો અને સ્નેલનો નિયમ તારવ્યો અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના નિયમો સમજાવ્યા.
આ કણવાદે એવી આગાહી કરી, કે જો પ્રકાશ કિરણનું વક્રીભવન થતાં લંબ તરફ વાંકું વળે તો બીજા માધ્યમમાં તેની ઝડપ વધે છે. આ કણવાદના આધારે પ્રકાશની ઝડપ પાતળા માધ્યમમાં ઓછી અને ઘટ્ટ માધ્યમમાં વધારે હોય છે.
પ્રકાશના આ કણવાદને ન્યૂટનનો કણવાદ માનવામાં આવ્યો.
આ વાક્યમાં પ્રકાશ અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો માનવામાં આવે છે.
$(2)$ હાઈગેન્સનો તરંગવાદ :ઈ.સ.$1678$ માં ક્રિશ્ચિયન હાઈગેન્સ પ્રકાશનો તરંગવાદ આપ્યો.
આ તરંગવાદ, પરાવર્તન અને વક્રીભવનની ઘટના સમજાવી શકે છે અને જો વક્રીભવન દરમિયાન તરંગ લંબ તરફ વાંકું વળે તો બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હશે. જે પ્રકાશના કણવાદ દ્વારા થયેલ અનુમાનની વિરુદ્ધ છે. ઈ.સ. $1850$ માં ફોકલ્ટે કરેલા પ્રયોગો દ્વારા અનુમાન કર્યું કે પાણીમાં પ્રકાશની ઝડપ એ હવામાંની ઝડપ કરતાં ઓછી હોય છે.
તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઈગ્રેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત્ત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર, અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય છે તેમ સાબિત કરો.
હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.
પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગઅગ્રનું વક્રીભવન સમજાવો
હાઈગેનના સિદ્ધાંતનો મુખ્ય ગેરફાયદો.....
નીચેનામાંથી કઈ ઘટના હાઈગેનનો સિદ્ધાંત સમજાવી શકતી નથી?